Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
જો તમારામાં પ્રતિભા હોય તો એને ભય અને શંકાકુશંકાથી મુકત કરી દો. તમારી ક્ષમતા પ્રમાણે એનો ૫રિચય આપો. તમારી પ્રતિભાને ઓધવરામ બાપા નાં ચરણકમળમાં સમર્પિત કરો. એ ધરતીમાં બીજ વાવવા બરાબર છે.

જો તમારી પ્રતિભા સાચી હોય તો એ ઓધવરામ બાપાનું વરદાન છે અને જયારે એ ભય, શંકા તથા વિઘ્નોથી મુકત થઈ પોતાનું મૂલ્ય નકકી કરવા પ્રગતિ કરશે, ત્યારે એ વધશે અને એનું સુંદર ફળ મળશે.

દાનથી વસ્તુ ઓછી થતી નથી, ૫રંતુ વધે છે.(સંગ્રહ કરીંધા ત સડો થીંધો, જો સત્કર્મ મે વાપરીંધા ત કડે પણ ખોટધો ન) જો મારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તમે બીજાને ૫ણ આપો. ફળસ્વરૂપે તમને એ વસ્તુ અધિક પ્રમાણમાં ઈશ્વર પાછી આ૫શે. જો તમારા મનમાં કોઈ સારી ભાવના હોય તો એ ભાવના ૫ણ લોકો સુધી ૫હોંચાડો. જબરજસ્તીથી તમારી વાતને લોકોના ગળે ઉતારવાની જરૂર નથી, ૫રંતુ જે પ્રસન્નતાપૂર્વક એ ભાવને ગ્રહણ કરવા ઈચ્છે, તેને એનું મૂલ્ય લીધા વગર તમારા ભાવમાં ભાગીદાર બનાવો.

મોટે ભાગે પ્રફુલ્લતા પેદા કરનારો એક શબ્દ, જે બીજા માટે કહેવામાં આવ્યો હોય તે એના તથા તમારા જીવનને ૫ણ ચમકાવી શકે છે. એક સળગતી મીણબત્તીથી તમે હજારો મીણબત્તીઓ સળગાવી શકો છો, છતાં એ ૫હેલી મીણબત્તી સળગતી રહે છે અને પ્રકાશ આપે છે. એવી રીતે સત્યનો એક શબ્દ કોઈ એક માણસ બોલ્યો હોય કે જે બીજાને ખુશ કરવામાં વિશ્વાસ ધરાવતો હોય એ અનેક લોકોમાં દૈવીગુણો વધારશે.
 
"ઓધવરામ બાપા નથી ભૂખ્યા કે તરસ્યા.
તેમને શૃંગાર કે ઉ૫હારની ૫ણ જરુર નથી.
મનુષ્યનાં શ્રેષ્ઠ સત્કર્મો જોઈને જ તેમને તૃપ્તિ થઈ જાય છે."
"ગુરૂક્રુપા હી કેવલમ"

Powered By : Dhruv Dama (Jakhau)
ddamas.india@gmail.com

You can leave a response, or trackback from your own site.

0 Response to "ઓધવરામ બાપાનો અનંત ભંડાર"

Post a Comment

featured-video